સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 13th August 2022

પોરબંદરમાં ભૂપેન્‍દ્રભાઇ પટેલની ઉપસ્‍થિતિમાં સાંજે તિરંગા યાત્રા

આઝાદીના અમૃત મહોત્‍સવ હેઠળ તિરંગા યાત્રાના સમાપન બાદ સુદામા ચોકમાં મુખ્‍યમંત્રીની જાહેરસભા : ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવી હાજર રહેશે

(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા. ૧૩ : આઝાદીના અમૃત મહોત્‍સવ અને હર ઘર તિરંગા કાર્યક્રમ હેઠળ મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલ અને રાજ્‍ય ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવીની હાજરીમાં આજે સાંજે તિરંગા યાત્રા યોજાઇ રહી છે.
મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલ અને ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવીના આગમન બાદ સુદામા ચોકમાં સ્‍વાગત કાર્યક્રમ રાખેલ છે ત્‍યારબાદ સુદામા ચોકથી તિરંગા યાત્રાનો પ્રારંભ થશે અને આ તિરંગા યાત્રા ખાદી ભવન અને હનુમાન ગુફા પોલીસ ચોકી થઇને રેલવે સ્‍ટેશન સુધી જશે. તિરંગા યાત્રાના સમાપન બાદ સુદામા ચોકમાં જાહેરસભામાં અતિથિવિશેષ પદેથી મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલ સંબોધન કરશે. મુખ્‍ય મહેમાન પદે ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવી ઉપસ્‍થિત રહેશે.
આઝાદી કા અમૃત મહોત્‍સવ તિરંયાયાત્રા કાર્યક્રમ પૂર્ણ થયા બાદ વનાણામાં મુખ્‍યમંત્રી, ગૃહમંત્રી સહિત મહાનુભાવો અને ભાજપના આગેવાનો તથા કાર્યકરોની બેઠક યોજાશે.

 

(1:24 pm IST)