જામનગરના ન્યુ આરામ કોલોની વિસ્તારમાં નેત્રયજ્ઞનો લાભ લેતા ૪૦૦થી વધુ લોકો
એચ.જે.લાલ ચેરીટેબલ ટ્રસ્ટ અને કેદાર લાલ ફાઉન્ડેશનના ઉપક્રમે નેત્રનિદાન યજ્ઞ સંપન્ન
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર,તા. ૧૩ : જામનગરમાં ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલજીના જન્મદિવસથી શરૃ થયેલી ૩૦ નેત્રયજ્ઞોની શ્રૃંખલાનો ૧૦ મો કેમ્પ ન્યુ આરામ કોલોની વિસ્તારમાં આયોજીત કરવામાં આવ્યો હતોે
આ ૩૦ નેત્રયજ્ઞની શ્રૃંખલાનો ૧૦મો કેમ્પ ન્યુ આરામ કોલોની વિસ્તારમાં આવેલી શિશુ વિહાર હિન્દી હાઇસ્કૂલમાં ગત રવિવાર તા. ૭-૮-૨૦૨ના રોજ યોજાયો હતો. આ કેમ્પના દીપ પ્રાગટ્યમાં મેયર બીનાબેન કોઠારી તેમજ જામનગર માર્કેટીંગ યાર્ડના ચેરમેન પ્રવિણસિંહ ઝાલા સાથે સ્થાનીક આગેવાનો, કાર્યક્રમો, ભાજપના આ વિસ્તારના સંગઠનના હોદ્દેદારો, તેમજ લાભાર્થી નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા આ તમામને સંસ્થાના ટ્રસ્ટી જીતુભાઇ લાલે આવકાર્યા હતા.
આ કેમ્પમાં કુલ ૪૦૦ થી વધુ દર્દીઓની આંખની તપાસ કરી તબીબી સલાહ મુજબ જરૃરીયાત હતી તેવા દર્દીઓને વિનામૂલ્યે ચશ્મા વિતરણ કરવામાં આવ્યુ હતું. લાલ પરિવારની બંને સંસ્થાઓ દ્વારા આ શ્રૃંખલાના યોજાયેલા ૧૦ નેત્ર નિદાન કેમ્પમાં કુલ ૪૬૦૦થી વધુ દદીઓ લાભાવિત થયા છે.