News of Tuesday, 13th July 2021
ઉના દ્રોણેશ્વરમાં શણગાર દર્શન
ઉનાઃ રથયાત્રાના પાવનકારી દિવસે એસજીવીપી ગુરુકલ દ્રોણેશ્વરમાં બિરાજમાન શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજને ભગવાન શ્રી જગન્નાથજી અંકિત કરેલા વાઘા તથા ફુલોનો નયનરમ્ય શણગાર કરાયો હતો. પ્રાતઃકાળે જગન્નાથજી ભગવાનનું પંચોપચાર પૂજન તથા આરતી કરી હતી.ᅠ આ પવિત્ર દિવસે ગુરુકલના આદ્ય સંસ્થાપક પૂજય શાષાીજી મહારાજનો જન્મદિવસ હોય પૂજય સ્વામીજીએ ગુરુદેવનું ભાવ પૂજન કર્યું હતું. ત્યારબાદ સ્વામીજીએ રથયાત્રાનો મહિમા કહ્યો હતો. દર્શનનો લાભ પ્રાપ્ત કરનાર સૌ ભક્તોને ખારેક તથા મગનો પ્રસાદ અપાયો હતો. શણગાર દર્શન આરતીની તસ્વીર. (તસ્વીરઃ નીરવ ગઢિયા ઉના)
(10:43 am IST)