News of Monday, 13th July 2020
જસદણ તાલુકામાં કોરોનાએ પ્રથમ ભોગ લીધો : શરીફાબેનનુ મોત થતા પરિવારમાં માતમ
ગત તા,5મીએ કોરોના વળગતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા
જસદણનાં બાવાનાં ચોક વિસ્તારમાં રહેતા શરીફાબેન જમાલભાઇ રાઠોડ(ઉ.વર્ષ 60) નો આજે રાત્રે કોરોનાની બિમારીએ ભોગ લેતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે.
શરીફાબેનને ગત 5 તારીખે કોરોના વળગ્યો હતો બાદમા તેમને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જયા આજે તેમનુ મોત થતા ભારે ગમગીની છવાઈ ગઈ છે.
(11:14 pm IST)