ભાવનગર જિલ્લાના સિહોરમાં ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પ્લાસ્ટિકની ડોલથી ઢાંકી દઈને દારૂની બોટલ મૂકીને અજાણ્યો શખ્સ નાસી છૂટયો : નશાખોર શખ્સનું કારસ્તાન હોવાની ચર્ચા
ભાવનગર :ભાવનગર જિલ્લાના સિહોરમાં ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પ્લાસ્ટિકની ડોલથી ઢાંકી દઈને દારૂની બોટલ મૂકીને અજાણ્યો શખ્સ નાસી છૂટયો હતો.નશાખોર શખ્સનું કારસ્તાન હોવાની ચર્ચાએ જોર પકડયું છે.
પ્રાપ્ત માહિતી મુજબ ભાવનગર જિલ્લાના સિહોર માં આવેલ મેઇન બજારમાં ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા મુકવામાં આવેલ છે આ પ્રતિમા ઉપર આજે બપોરે કોઈ અજાણ્યા શખ્સે પ્લાસ્ટિકની ડોલ મૂકીને ચહેરો ઢાંકી દીધો હતો ત્યારબાદ પ્રતિમા પાસે દારૂની ખાલી બોટલ મૂકીને નાસી છૂટયો હતો.
આ બનાવની જાણ થતા ગામના લોકો પ્રતિમા પાસે પહોંચી ગયા હતા આ બનાવ અંગે માવજીભાઈ કાળુભાઈ સરવૈયાએ અજાણ્યા શખ્સ વિરુદ્ધ સિહોર પોલીસ માં ફરિયાદ કરતા પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
પ્રાથમિક તપાસના આ કોઈ નશાખોર શખ્સનું કારસ્તાન હોવાનું જાણવા મળ્યું છે જોકે પોલીસે આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.