રાજકોટ ડીસ્ટ્રીકટ કો.ઓ.બેંકની ચુંટણી બિનહરિફ થતા કેબીનેટમંત્રી રાદડીયાનું સન્માન
જામકંડોરણા કન્યા છાત્રાલય સ્ટાફ તેમજ આગેવાનો દ્વારા
ધોરાજી તા.૧૩ : આરડીસી બેન્કની ચુંટણીને બદલે ૧૭ બેઠકો ઉપર કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાની પેનલ બીનહરીફ થયા બાદ માદરે વતન જામકંડોરણા આવતા કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાનું ભવ્ય સ્વાગત કરાયુ હતું.
આ તકે જામકંડોરણા કન્યા છાત્રાલયના ટ્રસ્ટીઓ અને અગ્રણીઓએ કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાનું સ્વાગત શુભેચ્છાઓ આપેલ.
આતકે કન્યા છાત્રાલય સ્ટાફ પરીવારોએ પણ હારતોરા કરી પુષ્પગુછો આપેલ હતા.
રાજકોટ ડેરીના ચેરમેન ગોવિંદભાઇ રાણપરીયા, માર્કેટીંગ યાર્ડના ચેરમેન વિઠ્ઠલભાઇ બોદર ચીમનભાઇ પાનસુરીયા કરણસિંહ જાડેજા, ચંદુભા ચૌહાણ, સરપંચ જસમત કોયાણી, પ્રેમજીભાઇ બાલધા, મોહનભાઇ કથીરીયા, ધનજીભાઇ પાટીદાર હરસુખભાઇ પાનસુરીયા તેમજ સ્ટાફ પરીવારજનોએ સ્વાગત કરેલ હતું અને શુભેચ્છાઓ આપેલ હતી. અને સૌએ ખેડુત નેતા વિઠ્ઠલભાઇ રાદડીયાને યાદ કરેલ હતા.(