ભાવનગરમાં કોરોનાથી વધુ એકનો ભોગ લેવાયો
કોરોના મહામારીનાં આંકડા એક જ વખત જાહેર કરાતા રોષ
(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા., ૧૩: ભાવનગરમાં કોરોનાથી એકનું મોત નિપજયું છે. જો કે તંત્ર દ્વારા હજુ જાહેર કરાયું નથી.
ભાવનગરમાં કોરોનાનો કહેર વધી રહયો છે. જીલ્લાનો કોરોનાનો કુલ આંક ૬રપ એ પહોંચી ગયો છે.
દરમ્યાન આજે સવારે ભાવનગરમાં હોસ્પીટલમાં સારવાર લઇ રહેલ કોરોનાગ્રસ્ત દર્દીનું મોત નિપજયું છે. જો કે હજુ તંત્ર દ્વારા સતાવાર જાહેરાત કરાઇ નથી.
ઉલ્લેખનીય છે કે છેલ્લા ત્રણ દિવસથી ભાવનગરમાં તંત્ર દ્વારા કોરોનાનાં દર્દીની માહીતી જાહેર કરાતી નથી માત્ર સાંજે કેટલા કેસ આવ્યા તેની વિગત જ અપાય છે. અગાઉ દિવસમાં એક વખત કોરોનાના કેસથી માહિતી અધિકારીઓ દ્વારા અપાતી હતી. પરંતુ હવે માત્ર સાંજે એક જ વખતે પણ નામ સરનામા વગર વિગત આપવામાં આવતા મીડીયા તેમજ લોકોમાં પણ ચર્ચાનો વિષય બની છે.