સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 12th July 2020

જૂનાગઢ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ અટકાવવા કેશોદ,માંગરોળ,માળીયાહાટીના ,માણાવદર , વિસાવદર અને ભેસાણના કેટલાક વિસ્તારો કંટેઇન્મેન્ટ ઝોન જાહેર

જૂનાગઢના બગડું, ગોલાધાર ,માખીયાળા અને મજેવડીના વિસ્તારોનો સમાવેશ : કેશોદના હાંડલા, બડોદર અને વોર્ડ,ન,2ના મૂક વિસ્તાર બફર ઝોનમાં મુકાયા

જૂનાગઢ જિલ્લામાં વધતા કોરોના કેસને પગલે કલેકટર કચેરીએ એપેડેમિક ડિસીઝ એક્ટ હેઠળ જાહેરનામું બહાર પાડીને કંટેઇન્મેન્ટ ઝોન જાહેર કર્યા છે જેમાં : કેશોદ,માંગરોળ,માળીયાહાટીના ,માણાવદર , વિસાવદર અને ભેસાણના કેટલાક વિસ્તારો કંટેઇન્મેન્ટ ઝોન જાહેર કરાયા છે ઉપરાંત  જૂનાગઢના  જૂનાગઢના બગડું, ગોલાધાર ,માખીયાળા અને મજેવડીના વિસ્તારોનો સમાવેશ કરાયો છે તેમજ કેશોદના હાંડલા, બડોદર અને વોર્ડ,ન,2ના મૂક વિસ્તાર બફર ઝોનમાં મુકાયા છે

ઉક્ત વિસ્તારોમાં લોકોનીયા વાર જવર નિયંત્રિત કરવા સાથે એન્ટ્રી અને એક્ઝિટ પોઇન્ટ પર આરોગ્ય વિભાગની ગાઇડલાઇન મુજબ તાહરમલ સ્ક્રીનિંગ થશે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાશે અને બેરીકેટ થી સમગ્ર વિસ્તારને કોર્ડન કરાશે

(12:08 am IST)