News of Friday, 13th July 2018
સોમનાથ પંથકમાં એકતાનું અનોખું ઉદાહરણ : ગણેશ પૂજન બાદ યુગલના યોજાયા નિકાહ
ગુજરાતના સોમનાથ પંથકમાં હિંદુ-મુસ્લિમ એકતા અને પ્રેમનું અનોખું ઉદાહરણ જોવા મળ્યું, જ્યાં એક હિંદુ પરિવાર દ્વારા ઉછેરાયેલી મુસ્લિમ 'દીકરી'ના નિકાહ હિંદુ-મુસ્લિમ પરંપરા મુજબ થયા છે. આ લગ્ન અનોખું હતું, જેમાં પહેલાં ગણેશ પૂજન થયું અને બાદમાં નિકાહ થયા. હિંદુ કોળી સમુદાયના મેરામણભાઈ જોરા સોમનાથ મંદિરમાં ફૂલ વેચવાનો વ્યવસાય કરે છે અને ભાલકા વિસ્તારમાં રહે છે.
(11:42 pm IST)