ધોરાજીના પાટણવાવ, કલાણા ચીચોડ ભાડેર સહિતના ગામો ને ભાદર-૨ ના કમાન્ડ એરિયા માં સમાવેશ કરવાં કરાયેલ રજૂઆત
ધોરાજી, તા.૧૩: ધોરાજીનાપાટણવાવ, ચિચોડ, કલાણા, ભાડેર, કાથરોટા, સમઢીયાળા અને તલગણા ગામોનોઓ ભાદર ૨ કમાંડ એરીયામાં સમાવેશ કરવાં લોક માંગ ઉઠી છે આ અંગે ઉપલેટાના શહેર ભાજપ પ્રમુખ માધવજીભાઇ પટેલે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને પત્ર લખીને રજૂઆત કરાઇ છે જેમાં જણાવયૂ છે કે ધોરાજી ઉપલેટા વિધાનસભા વિસ્તારના પાટણવાવ, ચિચોડ, કલાણા, ભાડેર, કાથરોટા, સમઢીયાળા, તલગણા વિગેરે ગામોને ભાદર ૨ સિંચાઇ યોજનાના કમાંડ એરીયામાં સમાવેશ કરી સિચાઇના પાણીનો લાભ આપવા માંગણી રજૂઆત કરાઇ છે
માધવજી ભાઈ પટેલે મૂખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણી એ જણાવયૂ હતું કે ધોરાજી ઉપલેટાના પથંક ના ગામો ભાજપના ગઢ જેવા હોય ત્યારે ભાદર ર ડેમમાં પાણી ફાજલ પડી રહે છે. ત્યારે ઉપરોકત ગામોને પાણીનો લાભ મળવો જોઇએ.૧ કેનાલ તૈયાર થયાને ચાર વર્ષ થઇ ગયા છે. ૨ આ પાણી પીવા માટે યોગ્ય નથી આખુ વર્ષ વણ વપરાયેલુ રહે છે. ૩.સિંચાઇનો ડેમ હોય છતાં હજુ સુધી પાણી છોડવામાં આવતુ નથી ૪. પાટણવાવ, કલાણા વિગેરે ગામોમાં કાયમી પાણીની અછત હોય છે જયારે ભાદર કાંઠાના ગામો જયાં પાણીના અન્ય સ્ત્રોત છે ત્યાં અવાર નવાર પાણી નદીમાં છોડવામાં આવે છે. તંત્ર વાહકો દ્વારા ત્યારે ગામીણ વિસ્તારના ખેડુતોએ રજુઆત કરતા તેમને ભાદર ર ડેમની કેનાલનું કામ પુરૂ થયા પછી પાટણવાવ સુધી સાઇડ કેનાલ આપવા જણાવ્યુ હતું. પાટણવાવ જેવા ગામોનો કમાંડ એરીયામાં પણ સમાવેશ થયેલ હોવા છતાં સિંચાઇ ખાતુ પાણી માટે કોઇ પ્રયત્ન કરતુ નથી ત્યારે ચિખલીયા અથવા હાડફોડી ગામ પાસેથી વધારાની સાઇડ કેનાલ કાથરોટા ગામ પાસેથી પાટણવાવની સીમ સુધી વધારાની નવી કેનાલ બનાવી પાટણવાવના પશ્ચિમ ભાગેથી મુખ્ય કેનાલ માણાવદર તરફ જાય છે પાટણવાવ સૂધી નવી કેનાલ બનાવવાં રજૂઆત કરાઇ છે.