ઉપલેટાના ગધેથડ ગાયત્રી આશ્રમમાં ગુરુપૂર્ણિમાંએ હવન સહિત કાર્યક્રમોઃ અર્ધા લાખથી વધુ ભાવિકો ઉમટશે
ઉપલેટા તા.૧૩: ઉપલેટાથી ૧૩ કિલોમીટરના અંતરે આવેલા ખ્યાતનામ ગધેથડના ગાયત્રી આશ્રમ દ્વારા પ્રખર ગાયત્રી ઉપાસક પૂ.લાલબાપુના સાનીધ્યમાં તા.ર૭-૭ના શુક્રવારે ગુરૂપૂર્ણિમાની ભકિતભાવપૂર્વક શાનદાર ઉજવણી કરવામાં આવશે.
થોડા સમય પહેલા પૂ.લાલબાપૂ તથા પૂ.રાજુ ભગતના ર૧ મહિનાના અનુષ્ઠાનના એકાંતવાસ પ્રસંગે રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તથા અન્ય મંત્રીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આ પ્રસંગે સમગ્ર ગુજરાત સહીત દેશભરમાંથી પૂ.લાલબાપુના સેવકો મોટી સંખ્યામાં ઉમટી પડેલ. આયોજકો દ્વારા ગુરૂપૂર્ણિમાએ પચાસ હજારથી વધુના ભાવિકો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં ધર્મપ્રેમી ભાઇ બહેનોને પધારવા પૂ.બાપુના શિષ્યો પૂ.રાજુભગત તથા પૂ.દોલુભગતે જાહેર નિમંત્રણ પાઠવેલ છે. કાર્યક્રમને સફળ બનાવવા માટે મંદિરના સેવકો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.