સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 13th July 2018

જામકંડોરણામાં અષાઢી બીજની રથયાત્રાનું પ્રસ્થાન જયેશભાઇ રાદડીયા કરાવશે

જામકંડોરણા તા.૧૩: કાલે શનિવારે અષાઢી બીજના દિવસે સનાતન યુવક મંડળ તેમજ જામકંડોરણાના વિવિધ યુવક મંડળોના સહયોગથી ભગવાન રામદેવજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે.

રથયાત્રામાં સનાતન ધર્મના ગુરૂજી રમેશબાપુ દાણીધારીયા તથા પ્રવિણબાપુ દાણીધારીયા બિરાજશે. આ રથયાત્રાનું પ્રસ્થાન કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાના હસ્તે થશે. આ રથયાત્રા બપોરના ૩ કલાકે ડી.જે. તથા ભકિતમય સંગીતના સુરો સાથે શ્રી રામજી મંદિરથી શરૂ પટેલ ચોક, ડંકી ચોક, ભાદરા નાકા, કાલાવડ રોડ, બસ સ્ટેશન, બાલાજી ચોક થઇ પટેલ ચોકમાં પૂર્ણ થશે.

રાત્રે ૯ કલાકે ભગવાન રામદેવજી મહારાજનો પાટોત્સવ તથા સંતવાણીનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. રથયાત્રાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે આ રથયાત્રામાં તાલુકાના રાજકીય, સામાજીક તેમજ વિવિધ યુવક મંડળોના કાર્યકરો આગેવાનો હાજરી આપશે.

(11:44 am IST)