સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 13th July 2018

દામનગરમાં દુકાન આડે નડતરરૂપ કેબીનો - લારીવાળા હટાવવા માંગણી

દામનગર તા.૧૩ : અહી કેબીન તથા લારીઓના ત્રાસથી દુકાનદારો પરેશાન થઇ ગયા છે. નગરપાલીકાને રજૂઆત કરતા નગરપાલીકાના સતાધિશો કહે છે કે કેબીન લારી હટાવવાનું અમારા અંડરમાં આવતુ નથી. આ કેબીન તથા વારીઓ વાળા પાસે નગરપાલીકા ભાડુ ઉઘરાવે છે ? પી ડબલ્યુ ડી વિભાગમાં પણ આ અગાઉ રજૂઆત કરેલ છે. છતા નોંધ સુધ્ધા લેતુ નથી.

અગાઉ પણ લેખીત રજૂઆત અવાર નવાર કરેલ છે તો માર્ગ મકાન વિભાગ નડતરરૂપ કેબીન તથા લારીઓ હટાવે તેવી માંગણી ઉઠી છે.

(11:44 am IST)