સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 13th July 2018

નણંદના ત્રાસથી ભાવનગરની મહેજબીન સૈયદનો આપઘાત

મુળ ગઢડાનીઃ એક વર્ષ પહેલાંજ લગ્ન થયા'તા

ભાવનગર તા.૧૩: ભાવનગરમાં એક વર્ષ પહેલાં જ લગ્ન કરનારી પરિણીતાએ ગળાફાંસો ખાઇ આપઘાત વહોરી લીધો હતો.

મળતી વિગતો મુજબ શહેરના કુંભારવાડા વિસ્તારમાં મોમોતી તળાવ રોડ ઉપર રહેતી મહેજબીન બેન આરીફભાઇ સૈયદ ઉ.વ.૨૦ એ તેનાં ઘરે ગળાફાંસો ખાઇ આત્મહત્યા વહોરી લીધી હતી. મૃતકનાં લગ્ન એક વર્ષ પહેલાં જ થયા હતા અને તેણીનું પિયર ગઢડા હોવાનું જાણવા મળેલ છે. તેણીનાં પિયરપક્ષમાં લોકોએ મહેજબીનબેનને નણંદનાં ત્રાસથી કંટાળી આપઘાત વહોરી લીધાનો આક્ષેપ કર્યો છે. આ અંગે ડીડિવીઝન પોલીસ વધુ તપાસ ચલાવે છે.

ટ્રેક હડફેટે વૃધ્ધનું મોત

રૂવાપરી રોડ વિસ્તાર માંથી પસાર થતાં મહેન્દ્રભાઇ ચોૈહાણ ઉ.વ.૫૯ ને પુરઝડપે ઘસી આવેલા ટ્રકનં. જી-જે-૪ એકસ ૫૮૬૬નાં ચાલકે હડફેટે લેતાં ગંભીર ઇજા થતાં તેનું મોત નિપજયું હતું. આ અંગે મૃતકનાં પુત્ર રાજુભાઇ ચોૈહાણે ટ્રક ચાલક વિરૂધ્ધ સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

(11:39 am IST)