સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 13th July 2018

જામજોધપુરમાં કોંગ્રેસમાં જુથબંધી?

આવેદન પાઠવવા સમયે અમુક કાર્યકરો ફરકયા નહિઃ ચર્ચાનુ બજાર ગરમ

જામજોધપુર, તા., ૧૩:  અહીંયા કથળેલી  પરિસ્થિતિ મુદ્દે સરકાર તંત્રની આંખ ઉઘાડવા કાજે કોંગ્રેસ દ્વારા આવેદન પત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજાયો હતો. પરંતુ જાણે જુથબંધી હોય તેમ અમુક કાર્યકરો એ ગેરહાજર રહી ચર્ચાનું બજાર ગરમ કરાવ્યું છે.

આ અંગે સ્થાનીક વફાદાર કાર્યકરો-રાજકીય વર્તુળમાં ચર્ચાતી વિગત મુજબ ધારાસભાની ચુંટણી બાદ કોઇ પણ કારણસર નારાજગી રહી હોવાથી નગરપાલીકાની ચુંટણીમાં પક્ષવિરોધી પ્રવૃતિ કરનાર અગ્રણીઓ, કાર્યકરો સામે પગલા ભરવા જોઇએ.

દરમિયાન જાગૃત કાર્યકરો તો એવો પણ અણિયારો સવાલ કરી રહયા છે કે પક્ષના કાર્યક્રમમાં સમયસર હાજર નહિ રહેનારા કે સાવ ગેરહાજર રહેનારા સામે કાર્યવાહી થતી કેમ નથી?.

(11:38 am IST)