ગુંદાળા પાસે કાર પલ્ટી ગઇ, જેતપુરના કમલેશ રોકડનુ મોત : ત્રણ મિત્રો ગંભીર
મોડીરાત્રે ધોરાજીથી જેતપુર તરફ જતા'તા ત્યારે જ જીવલેણ અકસ્માત : ઈજાગ્રસ્તો જૂનાગઢ સારવાર હેઠળ
ધોરાજી તા. ૧૩ : ગુંદાળા નજીક કોઇ કારણસર વર્નાકાર પલ્ટી ખાઇ જતા જેતપુરના પટેલ યુવાનનુ મોત નિપજ્યુ છે. જ્યારે અન્ય ત્રણ યુવાનોને ગંભીર ઈજા પહોચી છે.
વિગત મુજબ જેતપુરના ભોજાધાર વિસ્તારમાં રહેતો પટેલ યુવક મુન્ના ઉર્ફે કમલેશ બાબુભાઇ રોકડ (ઉ.વ.૩૨), કિશન, મહીન લોઢીયા અને રજાક રફીક સહિતના યુવાનો મોડી રાત્રે વર્નાકાર લઇને જેતપુર તરફ જતા હતા ત્યારે કોઇ કારણોસર ગુંદાળા નજી ક કાર પલ્ટી ખાઇ જતા ગંભીર ઈજા થવાથી કમલેશનુ ઘટના સ્થળે જ કરૂણ મોત નપજ્યુ હતુ.
જ્યારે અન્ય ત્રણેય યુવકોને ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં વધુ સારવાર અર્થે જુનાગઢની હોસ્પિટલે ખસેડાયા હતા.
અપરિણીત આશાસ્પદ યુવાન પુત્રના આકસ્મીક મોતને પગલે રોકડ પરિવારમાં અરેરાટી પ્રસરી જવા પામી છે. આ અંગે ધોરાજી પોલીસે જરૂરી કાગળો કર્યા હતા.