સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 13th June 2019

વાયુ વાવઝોડાનાં ખતરા વચ્ચે ધોરાજીમાં લોકોમેળો યોજાયો !!!

વગર મંજુરીએ જનાના હોસ્પિટલના ગ્રાઉન્ડમાં ભીમ અગિયારસનો લોકમેળો યોજાયો

 

ધોરાજી : વાયુ વાવાઝોડાના ખતરા વચ્ચે ધોરાજીમાં ભીમ અગિયારસનો લોકમેળો યોજાયો હતો. ધોરાજીના જેતપુર રોડ જનાના હોસ્પિટલ ગ્રાઉન્ડ ખાતે ભીમ અગિયારસ લોક મેળો યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકોએ મજા માણી હતી. લોકમેળો યોજવા મંજૂરી લેવામાં આવી નહોતી તેવું જાણવા મળે છે

   .વાયુ વાવાઝોડાને કારણે ધોરાજી-ઉપલેટા જામકંડોળામાંથી 3 હજાર 500 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. ત્યારે બીજી બાજુ ભયાનક વાવાઝોડા અને વરસાદની આગાહી વચ્ચે ભીમ અગિયારસનો મેળો યોજાઇ ગયો

(12:13 am IST)