News of Thursday, 13th June 2019
વાયુ વાવઝોડાનાં ખતરા વચ્ચે ધોરાજીમાં લોકોમેળો યોજાયો !!!
વગર મંજુરીએ જનાના હોસ્પિટલના ગ્રાઉન્ડમાં ભીમ અગિયારસનો લોકમેળો યોજાયો
ધોરાજી : વાયુ વાવાઝોડાના ખતરા વચ્ચે ધોરાજીમાં ભીમ અગિયારસનો લોકમેળો યોજાયો હતો. ધોરાજીના જેતપુર રોડ જનાના હોસ્પિટલ ગ્રાઉન્ડ ખાતે ભીમ અગિયારસ લોક મેળો યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકોએ મજા માણી હતી. આ લોકમેળો યોજવા મંજૂરી લેવામાં આવી નહોતી તેવું જાણવા મળે છે
.વાયુ વાવાઝોડાને કારણે ધોરાજી-ઉપલેટા જામકંડોળામાંથી 3 હજાર 500 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. ત્યારે બીજી બાજુ આ ભયાનક વાવાઝોડા અને વરસાદની આગાહી વચ્ચે ભીમ અગિયારસનો મેળો યોજાઇ ગયો
(12:13 am IST)