સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 13th June 2019

પોરબંદર સાંદીપનીના વિદ્યાર્થીઓ દ્વારા ફૂડ પેકેટ તૈયાર કરાયા

જુનાગઢ : સૌરાષ્ટ્રમાં વાયુ વાવાઝોડુ આવી રહ્યું છે ત્યારે અગમચેતીના ભાગ સ્વરૂપે પોરબંદરમાં દરિયા કિનારાના વિસ્તારમાંથી લોકોને સ્થળાંતર કરવામાં આવી રહ્યા છે ત્યારે આ સમયે પોરબંદરમાં આવેલ સંસથા સાંદીપની વિદ્યાનિકેતન દ્વારા રાષ્ટ્રીય સંત પરમ પૂજય ભાઇ રમેશભાઇ ઓઝાના માર્ગદર્શનથી સ્થળાંતર થયેલા લોક માટે સાંદીપનીના વિદ્યાર્થીઓ દ્વારા ફૂડ પેકેટસ તૈયાર કરવામાં આવી રહ્યા છે.

(3:40 pm IST)