સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 13th June 2019

''વાયુ'' વાવાઝોડાનુ સંકટ ટળતા શ્રી સોમનાથ મહાદેવની જીતુભાઇ વાઘાણી-નિતીનભાઇ ભારદ્વાજ દ્વારા મહાપૂજા

વેરાવળઃ ''વાયુ'' વાવાઝોડાનો ખતરો ગુજરાત-સૌરાષ્ટ્ર ઉપરથી ટળતા સૌ કોઇએ રાહતનો શ્વાસ લીધો છે ત્યારે ભાજપ પ્રદેશ પ્રમુખ શ્રીજીતુભાઇ વાઘાણી અને પ્રદેશ ભાજપ અગ્રણી શ્રી નિતીનભાઇ ભારદ્વાજ સહિતનાએ શ્રી સોમનાથ મહાદેવની મહાપૂજા કરી હતી. અને વાયુ વાવાઝોડાનુ સંકટ ટળતા સૌની સુખાકારી માટે પ્રાર્થના કરવામા આવી હતી. જેમાં શ્રી સોમનાથ ટ્રસ્ટના કો.ઓર્ડિનેટર ડો.યશોધરભાઇ ભટ્ટ, જનરલ મેનેજરશ્રી સહિત અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા જે તસ્વીરમા નજરે પડે છે. (તસ્વીરઃ અહેવાલઃ દિપક કકકડ-વેરાવળ)

(3:39 pm IST)