News of Thursday, 13th June 2019
સાવરકુંડલા પાલિકા દ્વારા હોર્ડિગ ઉતારવાની કામગીરી
સાવરકુંડલા : આગામી દિવસોમાં વાવાઝોડાની આગાહીને ધ્યાને રાખી શહેરમાં કોઇ પણ જાતનું નુકશાન ન થાય તેવા આશયથી સાવરકુંડલા નગરપાલિકા ના પ્રમુખ વિપુલભાઇ ઉનાવા અને ચીફ ઓફીસરની સુચના મુજબ શહેરમાં લાગેલા જાહેરાત કે બીજા અન્ય હોર્ડીગ ઉતારી લેવામાં આવી રહયા છે. આ જાહેરાતના લાગેલા હોર્ડીગોથી પવન અને વાવાઝોડાથી પડી-ઉડીને બીજા કોઇને નુકશાન તેમજ કોઇપણ ે જાનહાની નો બનાવ ન બને તે માટે હોર્ડીગો ઉતારવામાં આવી રહયા છે.
(1:04 pm IST)