સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 13th June 2019

ખંભાળીયા રેલ્વે ટ્રેક પાસેથી માથુ કપાયેલ લાશ મળી

ઓળખ મેળવવા આજુબાજુના વિસ્તારમાં લાપતા વ્યકિતઓ અંગે તપાસ

ખંભાળીયા તા. ૧૩ :.. દ્વારકા રોડ પર રેલ્વે ટ્રેક પાસે એક માણસની લાશ પડી હોવાની જાણ થતાં ખંભાળીયા પો. સ. અરવિંદસિંહ જાડેજા તથા સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયા હતાં.

દ્વારકા ટ્રેક પર ફાટકથી બે કિ.મી. દૂર એક પુરૂષની લાશ મળી આવી હતી. જેના શરીરના ટૂકડા થઇ ગયા હતા તથા બે - ત્રણ દિવસ પહેલા મરી ગયેલ આ વ્યકિતનું શરીર પ કાળુ પડી ગયું હતું તથા રેલ્વે પોલીસને પણ જાણ કરાઇ હતી તથા ટૂકડા થયેલી લાશને ખંભાળીયા હોસ્પિટલમાં અને ત્યાંથી જામનગર પી. એમ. માટે મોકલવામાં આવેલ.

જો કે પી. આઇ. જાડેજાએ જણાવેલ કે લાશની ઓળખ થઇ નથી તથા તેના કપડામાંથી કંઇ કાગળ ઓળખની નિશાની પણ મળી નથી. આજુ બાજુના વિસ્તારમાંથી કોઇ ગૂમ થયો હોય તો તપાસ કરવા જણાવાયું છે.

(12:57 pm IST)