સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 13th June 2019

વીરપુર જલારામધામમાં ૬૦ લોકોનું સ્થળાંતર

વીરપુર જલારામધામમાં પણ વાયુ વાવાઝોડા સામે સાવચેતીના પગલારૂપે સરકારી તંત્ર દ્વારા વીરપુરના નીચાણવાળા વિસ્તારોમાં તેમજ કાચા મકાનોમાં રહેતા લોકોને સ્થળાંતર કરી વીરપુર કુમારશાળાએ સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા જેમાં વીરપુર ગ્રામપંચાયતના તલાટીકમ મંત્રી જયદીપ ગોંધીયા તેમજ વીરપુર કુમારશાળાના પ્રિન્સિપાલ મનોજ ડોડીયા તથા નારણભાઇ કાતરોલીયા સાહેબેઙ્ગ બાઈક લઈને વીરપુરના ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને વાયુ વાવાઝોડામાં સાવચેતીના પગલાં કઈ રીતે લેવા તેના વિશે માહિતગાર કરીનેે ૫૦ થી ૬૦ લોકોને સ્થળાંતર સ્થળે ખસેડી તેમના રહેવા જમવાની વ્યવસ્થા કુમારશાળા ખાતે કરવામાં આવી હતી. (તસ્વીરઃ કિશન મોરબીયા વીરપુર)

(11:40 am IST)