સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 13th June 2019

ગોંડલ તાલુકા અને શહેરમાં ૬૭૮ લોકોનું સ્થળાંતર

ગોંડલ, તા.૧૩: ગોંડલ તાલુકાના ભંડારીયા, ખંભાલીડા, મસીતાળા, નવાગામ, લિલાખા, દેરડી, હડમતાળા , કોલીથડ તેમજ પાટીયાળી સહિત નવ ગામમાં વાયુ વાવાઝોડાનો ખતરો હોય ૬૭૮ લોકોનું સુરક્ષિત જગ્યા પર સ્થળાંતર કરવામાં આવ્યું હતું.જયારે શહેરના ગોંડલી નદીના પટ તેમજ ડેમ વિસ્તારમાં રહેતા ૩૩ જેટલા પરિવારનું પણ સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું હતું સ્થળાંતર કરાયેલા લોકોના રહેવા-જમવાની વ્યવસ્થા પણ તંત્ર દ્વારા કરવામાં આવી હતી, તકેદારીના કાર્યમાં મામલતદાર તંત્ર, પાલિકા તંત્ર અને પોલીસ તંત્ર કામે લાગ્યું હતું. હજુ પણ જયાં જયાં સ્થળોએ લોકો અસુરક્ષિત જણાશે તેઓનું સુરક્ષિત સ્થળોએ સ્થળાંતર કરાશે તેવું તંત્રની યાદીમાં જણાવાયું હતું.

(11:29 am IST)