જુનાગઢમાં કાશ્મીરીબાપુના આશિર્વાદ લેતા વનમંત્રી વસાવા
જુનાગઢ : જુનાગઢ ભવનાથ આમકુ બીટ જંગલમાં આવેલ શ્રી દાતારેશ્વર આશ્રમની ગઇકાલે વનમંત્રી ગણતભાઇ વસાવાએ મુલાકાત લીધી હતી અને અડધો કલાક રોકાણ કરી આશ્રમની સેવાકીય પ્રવૃતિ નિહાળી પ્રભાવિત થયા હતા અને પૂ. કાશ્મીરીબાપુનું ગણતભાઇ વસાવા એ સાલ ઓઢાડી સન્માન કર્યુ હતું અને બાપુએ આશિર્વાદ પાઠવ્યા હતા. વનમંત્રી શ્રીની આ મુલાકાત દરમ્યાન તેમની સાથે સચિવ તેમજ વન ખાતાના અધિકારીઓ તેમજ પૂ. બાપુના સેવક જીતુભાઇ પંડયા વગેરે ઉપસ્થિત રહયા જે તસ્વીરમાં નજરે પડે છે. (અહેવાલ : વિનુ જોષી, તસ્વીર મુકેશ વાઘેલા)
રાષ્ટ્ર સેનાના સભ્યો કલેકટરની સાથે
રાજકોટ તા. ૧ર :.. ભયાનક વાવાઝોડા દરમિયાન રાજકોટ જિલ્લામાં જે કોઇ સ્થિતી ઉદભવે રાષ્ટ્ર સેનાના સભ્યો સરકારી તંત્રની મદદ માટે ખાસ હાજર રહેશે, તેમજ કન્ટ્રોલ રૂમના સંપર્કમાં રહેશે તેમ પ્રમુખ રંગપરા રમેશે કલેકટરને પાઠવેલ પત્રમાં ઉમેર્યું છે.