સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 13th June 2019

ભાવનગરમાં 'વાયુ' વાવાઝોડાની અસરના પગલે ૫૦,૦૦૦ ફૂડ પેકેટ તૈયાર

ભાવનગર, તા.૧૩: વાયુ વાવાઝોડાના અનુસંધાનેઙ્ગ ભાવનગર જિલ્લા ના મહુવા ખાતે જરૂરિયાતમંદોને ફૂડ પેકેટ પહોંચાડવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ભાવનગર દ્વારા ૨૦ હજાર ફૂડ પેકેટ,બગદાણા બાપાસિતારામ આશ્રમ દ્વારા ૨૦ હજાર ફૂડ પેકેટ,રેડક્રોસ સોસાયટી દ્વારા ૧૫ હજાર ફુટ પેકેટ,તેમજ મોરારી બાપુ આશ્રમ અને વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા ફુડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે. તેમજ ભાવનગર શહેર માટે જવેલ સ્ટારના નયનભાઈ ગોલકીયા દ્વારા ૧૦૦૦ ફૂડ પેકેટની વ્યવસ્થા કરવામાં આવી છે.(તસ્વીર-અહેવાલઃ મેઘના વિપુલ હિરાણી ભાવનગર)

(11:21 am IST)