સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 13th June 2019

વાવાઝોડા દરમ્યાન અલ્લાહત્આલા તમામની હિફાઝત ફરમાવે તેવી ભાવનગરની જુમ્મા મસ્જીદ પાસે સામુહીક દુવાઓ

ભાવનગર તા.૧૩: વાવાઝોડાની સંભાવનાને ધ્યાને લઇ સરકારી તંત્ર એલર્ટ થયુ છે. આ વાવાઝોડા દરમ્યાન કોઇપણને કાંઇપણ જાતની કે માલની નુકશાન ન થાય અલ્લાહત્આલા તમામની હિફાઝત ફરમાવે તે માટે અસરની નમાઝબાદ ભાવનગર શહેરના આંબાચોક જુમ્મા મસ્જીદ પાસે મસ્જીદના પેશ ઇમામ હઝરત સૈયદ શબ્બીરબાપુએ તમામની હિફાઝત માટે ખાસ સામુહીક દુવાઓ કરી હતી.

આ કાર્યક્રમમાં મસ્જીદના તમામ નમાઝી ભાઇઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં જુમ્મા મસ્જીદ કમીટીના અગ્રણીય બાબુલભાઇ સાકરવાળા, કાળુભાઇ બેલીમ, સતારભાઇ ચુગડા, સોહિલભાઇ સીદી (મુબલીગ) સહિતનાએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

(11:19 am IST)