News of Thursday, 13th June 2019
કચ્છમાં 26121 લોકોનું સ્થળાંતર કરાયું :સૌથી વધુ ગાંધીધામમાં અને સૌથી ઓછા ભુજમાંથી ખસેડાયા
લખપતમાં અછત વચ્ચે વરસાદના ઝાપટાથી લોકોમાં રાહતની લાગણી
વાયુ વાવાઝોડાને પગલે દરિયા કાંઠા અને સંભવિત અસર પામનાર જિલ્લામાં સ્થળાંતરની કામગીરી વેગીલી છે કચ્છમાં 26121 લોકોનું સ્થળાંતર કરાયું છે, જેમાં સૌથી વધુ ગાંધીધામના અને સૌથી ઓછા ભુજમાં ખસેડાયા છે. અબડાસા-3150, અંજાર-900, ભચાઉ-1953, ભુજ -780, ગાંધીધામ-12373, માંડવી-1200, લખપત-1561, કચ્છના લખપતમાં અછત વચ્ચે 16MM વરસાદ નોંધાયો છે.
(12:12 am IST)