સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 13th June 2018

પોરબંદરમાં મધદરિયામાં જલરાક નામની ટ્રગબોટનું એન્જિન ફેલ : રેસ્ક્યુ ઓપરેશન કરીને સાત ખલાસીઓને બચાવાયા

પોરબંદર નજીક મધદરિયે જલરાક નામની ટ્રગબોટનું એન્જિન ફેલ થયું હતું. જેમાં સવાર સાત ખલાસીઓને રેસ્કયૂ ઓપરેશન હાથ ધરી બચાવી લેવામાં આવ્યા હતા.

  આ અંગે જાણવા મળતી વિગત મુજબ બુધવારની રાત્રિના સમયે પોરબંદર પાસેના અરબી સમુદ્રમાં મધદરિયે ટ્રગ બોટનું એન્જિન ફેલ થયું હતું. જેથી તેમાં રહેલા 7 ખલાસીઓના જીવ તાળવે ચોંટ્યા હતા.

  આ અંગે કોસ્ટગાર્ડને જાણ થતા તેઓએ શૂર નામના ફાઈટર શિપને મદદ માટે મોકલ્યું હતું. પરંતુ દરિયામાં ઉંચી લહેરોની સાથે સાથે વાતાવરણ પણ ખરાબ હોવાથી શીપ દ્વારા ખલાસીઓને મદદ થઈ શકી નહોતી.

(7:52 pm IST)