સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 13th June 2018

વાંકાનેરના વલાસણ ગામે દફનાવાયેલા જાવીદ કડીવારની લાશના વિસેરા લેવાયા

માતાએ પુત્રનું ખુન થયાની શંકા વ્યકત કરતા પોલીસે લાશ બહાર કાઢી'તી : એફએસએલના રીપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરાશેઃ પીઆઇ બી.ટી.વાઢીયા

વાંકાનેર, તા., ૧૨: વાંકાનેરના વાલાસણ ખાતે રહેતા જાવેદ કડીવારની ખુન થયાની માતાની ફરીયાદ બાદ પોલીસે કબ્રસ્તાનમાં દફનાવાયેલા જાવીદની લાશ બહાર કાઢી વિસેરા લીધા હતા.

મળતી વિગત મુજબ ગઇકાલે ખુનની શંકાની ફરીયાદના આધારે કબરમાં ચાર માસ પુર્વે દફન કરાયેલ યુવાન જાવેદ કડીવારની લાશને જવાબદાર અધિકારીઓની હાજરીમાં બહાર કઢાઇ, એફએસએલ દ્વારા લાશનો કબ્જો લેવાયેલો. બાદમાં મોડી સાંજે  એફએસએલ દ્વારા ઘટનાની વાસ્તવિકતા સુધી પહોંચવા માટે અનિવાર્ય મૃતદેહની તપાસ તથા વિસેરા લેવાયા બાદ લાશને સોંપાતા મૃતક જાવેદના મૃતદેહને ફરી વાલાસણ ખાતેના અજ કબ્રસ્તાનમાં એજ કબરમાં દફન કરી દેવાઇ છે.

જાવેદનું મૃત્યુ ઝેરી દવા પી લેવાને કારણે? કે પછી ષડયંત્રના ભાગરૂપે તેનું ખુન કરી નંખાઇને ઘટનાને આત્મહત્યામાં ખપાવવા વ્યવસ્થિત પ્રયત્નો કરાયા હતા? એ રહસ્ય એફએસએલ રીપોર્ટ બાદ જ નિશ્ચિન થવા પામશે.

એક વધુ જાણવા મળતી વિગત મુજબ કહેવાય છે કે મૃતકે પોતે સુસાઇડ નોટ લખેલી ? તો તે કોના કહેવાથી લખેલી? પંથકમાં આ ઘટના અંગે હાલ અનેક તર્ક વિતર્કો થઇ રહયા છે.

આ ઘટનાના ચાર આરોપીઓ હોવા છતાં હજુ સુધી કોઇની ધરપકડ થવા પામી નથી. આ બનાવની તપાસ વાંકાનેર શહેર પીઆઇ બી.ટી.વાઢીયા ચલાવી રહયા છે. મૃતકના પરીવારજનો આ બનાવ અંગેની તપાસ સીઆઇડી ક્રાઇમને સોંપાય તેવી લાગણી વ્યકત કરી હતી.

દરમિયાન તપાસનીસ અધિકારી પીઆઇ બી.ટી.વાઢીયાએ જણાવ્યું હતું કે મૃતક જાવીદ કડીવારની લાશના વિસેરા લેવાયા છે તેનો રીપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરાશે.

(11:35 am IST)