સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 13th May 2021

જામકંડોરણામાં કોવીડ કેર સેન્ટર : કેબીનેટ મંત્રી જયેશ રાદડીયા અને પદાધિકારીઓ મુલાકાતે

રાજકોટ : જામકંડોરણા મુકામે કન્યા છાત્રાલય ખાતે કોરોના મહામારી અંતર્ગત ૨૦૦ બેડની ઓકસીજન સુવિધા સાથે કોવિડ કેર સેન્ટર કાર્યરત કરતતા તાજેતરમાં પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરતભાઇ બોઘરા, જિલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઇ બોદર, ડીસ્ટ્રીક બેંક ડાયરેકટર અરવિંદભાઇ તાળા, મુકેશભાઇ રાદડીયા, એડવોકેટ જયેશભાઇ બોઘરા, રાજયના કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા સહીતે મુલાકાત લઇ લોકોને યોગ્ય સારવાર મળી રહે તે માટે વ્યવસ્થાનું સંકલન કરાવ્યુ હતુ. દાખલ થયેલા દર્દીઓ ઝડપથી સ્વસ્થ બને તેવી શુભેચ્છાઓ પણ પાઠવી હતી. આ મુલાકાત સમયની તસ્વીરો નજરે પડે છે.

(11:55 am IST)