સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 13th May 2020

વાંકાનેર ગુંદાખડામાં અશોક શાપરાએ ગળાફાંસો ખાધોઃ રાજકોટ સારવારમાં

પત્નિ સાથે નજીવી વાતે ચડભડ થતાં પગલુ ભર્યાની શકયતા

રાજકોટ તા. ૧૩: વાંકાનેરના ગુંદાખડા ગામે રહેતાં અશોક વાલજીભાઇ શાપરા (ઉ.૨૮) નામના કોળી યુવાને પોતાની વાડીએ ઝાડમાં ગળાફાંસો ખાઇ લેતાં તેના પરિવારજનો આવી જતાં નીચે ઉતારી બેભાન હાલતમાં મોરબી હોસ્પિટલમાં અને ત્યાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. રસિક બે ભાઇ અને એક બહેનમાં વચેટ છે તથા કડીયા કામની મજૂરી કરે છે. પતિ-પત્નિ વચ્ચે કોઇ કારણોસર ચડભડ થતાં અશોક સાંજે વાડીએ આટો મારવા જવાનું કહીને નીકળી ગયો હતો. મોડે સુધી ન આવતાં પરિવારજનો પહોંચતા તેણે ફાંસો ખાઇ લીધાની ખબર પડી હતી. હાલ તે સારવાર હેઠળ છે.

(11:42 am IST)