સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 13th May 2020

જોડિયામાં કોરોનાના નામે જાહેર રસ્‍તા બંધ કરાયા

જોડિયાઃ માંડવી ચોક અને મેમણપરા જે જાહેર માર્ગ  તરીકે લોકો માટે બજાર અથવા તા.પં. કચેરી અને વીજ કચેરી એક માત્ર માર્ગ હોવાથી બન્‍ને જુદા વિસ્‍તારના લોકો જાહેર માર્ગ અવર-જવર બંધ કરાતા લોકો માટે મુશ્‍કેલી ઉભી થઇ છે બંધ કરાવા જાહેર માર્ગ અંગે સ્‍થાનિક તંત્રમાં રજુઆત પછી પણ લોકો જાહેર માર્ગ ખોલવામાં આનાકાના કરી રહ્યા છે. મેમણપરા વિસ્‍તારમાં જાહેર માર્ગ ખોલવા બાબત સરપંચ અને માર્કેટ યાર્ડમાં ડાયરેકટર સ્‍થાનિક લોકો સાથે ચર્ચા કર્યા પછી મેમણપરાના લોકોએ જાહેર માર્ગ ખોલ્‍યો નથી જોડિયામાં જયા ત્‍યાં જાહેર માર્ગ બંધ છે. આ અંગે મામલતદાર, ટી.ડી.ઓ. અને પોલીસ ખાતાને જાણ હોવા છતા તંત્ર મૌન છે. પરંતુ લોકો કોરોનાના નામે લોકડાઉનની  ધજીયા ઉડાવી રહ્યા છે

(11:11 am IST)