સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 13th May 2019

કચ્છના રાપરમાં નર્મદા નો પુલ તૂટી જતાં ચાર ને ઇજા

(ભુજ) રાપર  તાલુકાના નંદાસર નર્મદા કેનાલ પર ચાલી રહેલા બ્રીજ પર ચાલી રહેલા રિપેરીંગ કામ દરમિયાન બપોરે એક વાગ્યા ની આસપાસ નવા બનાવી રહેલા બ્રીજ નો માંચડો તુટી પડયો હતો અને ચાર મજુરો ને ઇજા થઇ cv છે જેમાં બે મજૂરો ને ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ જવામાં આવ્યા હતા અને બે મજૂરો ને સામાન્ય ઈજા પહોંચી હતી છતાં કોન્ટ્રાક્ટર દ્વારા કે નર્મદા યોજના ના અધિકારી દ્વારા કોઈ સારવાર માટે દાખલ કરવામાં આવ્યા ના હતા. થોડા દિવસ અગાઉ આ બ્રિજ પાસે ટ્રક નર્મદા કેનાલ મા ખાબકી હતી આ નર્મદા યોજના નું કામ ચાલી રહ્યું હતું ત્યારે અવાર નવાર રજૂઆતો કરવામાં આવી હતી કે આ કામગીરી મા ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે ત્યારે આ બ્રિજ ના અને નર્મદા કેનાલ ના કામો તુટતા જોવા મળ્યા છે તો આ બ્રિજ બંધ કરવામાં આવ્યો છે અને આ માટે એક કિલો મીટર નું ડાયવર્ઝન આપવા મા આવ્યું છે તે બ્રીજ નબળા પડી ગયો છે અને બ્રીજ મા તિરાડ પડી ગઈ છે અને આ બ્રિજ પણ પડે તેમ છે આ બ્રિજ પણ વચ્ચે થી નમેલો જોવા મળે છે તો શું રાપર તાલુકા માંથી પસાર થઈ રહેલી નર્મદા યોજના ની કચ્છ બ્રાન્ચ કેનાલ ના બ્રીજ કોઈ નો ભોગ લે તે દિવસો દૂર નથી.. આજે આ નંદાસર બ્રીજ પર લોખંડની સ્લેબ ગોઠવી દેવામાં આવી હતી અને આજે સિમેન્ટ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી હતી ત્યારે બપોરે એક વાગ્યા ની આસપાસ આ બ્રિજ તુટી પડયો હતો અને કામ કરતા મજૂરો ને ઇજા થઇ હતી ત્યારે તાત્કાલિક ગંભીર ઇજા પામેલા મજુરો ને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા અને જેમા બે મજૂરો ગંભીર રીતે ઘાયલ થયા ના ચોક્કસ સુત્રો એ જણાવ્યું હતું તો બે મજૂરો ને સામાન્ય ઈજા પહોંચી હતી તેઓ બ્રીજ પાસે આરામ કરતાં હતા પરંતુ નર્મદા યોજના ના અધિકારી કે એજન્સી દ્વારા કોઈ સારવાર અર્થે ખસેડાયા ના હતા.. બ્રિજ ધરાશાયી થયા ના અહેવાલો બાદ રાપર ઈન્ચાર્જ પીઆઈ જે. એચ. ગઢવી એ મુલાકાત લીધી હતી અને જાત માહિતી મેળવી હતી છતાં કોઈ ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર ફરકયા ના હતા અને આ બ્રિજ ના બનાવ અંગે હાજર રહેલા બધાં જ મજુરો અને માણસો એ મોઢા સીવી લીધા હતા તો શું આ કેનાલ પરના બ્રિજો કોઈ ના ભોગ લેશે તે ચર્ચા ચાલી રહી છે તો જીલ્લા કલેકટર દ્વારા તપાસ સમિતિ બનાવી તપાસ હાથ ધરે તો અનેક ના પગ તળે રેલો આવે તેવી શક્યતા છે

(5:59 pm IST)