અમરેલીમાં ૨૫ના ભોગ લેતુ કોરોના
અમરેલી,તા. ૧૩: અમરેલી જિલ્લામાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે અને મહામારીના ખપ્પરમાં કાલે સવારથી સાંજ સુધીમાં અમરેલી શહેરની ધરતી ઉપર ૨૫ ના મોત નીપજ્યા છે. જેમાં ૧૪ કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીઓ હતા. અને અન્ય ૧૧ હતા. અમરેલી ખાતે કોરોના સારવાર લઇ રહેલા સ્વામીના ગઢડા ગામા ૬૪ના પુરૂષ, કમીગઢના ૩૮ વર્ષના યુવાન, જસદણના વિંછીયા ગામના ૫૯ વર્ષના પુરૂષ, મહુવાના ૬ વર્ષન મહિલા, ઢસના ૪૫ વર્ષના મહિલા, ખારીખીજડીયાના ૫૨ વર્ષના મહિલા, ડેડાણના ૪૦ વર્ષના પુરૂષ, નેસડીના ૬૫ વર્ષના મહિલા અને ધારીના ૭૫ વર્ષના વૃધ્ધ તથા બગસરાના હામાપુરમાં ૬૫ વર્ષના મહિલા, ધારીના ૬૩ વર્ષના પુરૂષ, અમરેલીના પાણીયા ગામના ૬૦ વર્ષના વૃધ્ધ દર્દી, બાબરના ધુધરાળા ગામના ૮૫ વર્ષના દર્દી અને બગસરાના ૭૫ વર્ષના પુરૂષ દર્દીના મોત નીપજ્યા હતા. ઉપરોકત ૧૪ કોરોનાના દર્દીઓ ઉપરાંત અમરેલીના ગાયત્રી મોક્ષધામમાં અન્ય બિમારીવાળા ૮ તથા કૈલાશ મુકિતધામ ખાતે માણેકપરા, ચક્કરગઢ રોડ સહિતના અન્ય ૩ લોકોના અંતિમ સંસ્કાર મળી કુલ ૧૧ મોત કોવિડ મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. અમરેલીમાં આ આંકડો સતત વધતો રહે તેવી શકયતા છે.