લીંબડીમાં લગ્નપ્રસંગે બાસુંદી ખાધા બાદ ર૦ થી વધુ લોકોને ફુડ પોઇઝીંગ
વઢવાણ તા. ૧૩ : લીંબડીની સિધ્ધનાથ સોસાયટીમાં એક લગ્ન પ્રસંગમાં બાસુંદી આરોગતા ર૦ થી વધારે લોકોમાં પોઇઝનીંગની અશર જોવા મળી હતી જેમાંથી ૯ લોકોને ઝાડા-ઉલ્ટી અને પેટમાં દુઃખાવાની ફરીયાદ ઉઠતા તાત્કાલીક સારવાર માટે લીંબડીની સરકારી હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા રાતે ૧૦ વાગ્યે લીંબડીની સરકારી હોસ્પીટલમાં ઝાડા-ઉલ્ટીના ૯ દર્દીઓના કેસ ઓપીડીમાં નોંધાતા સરકારી હોસ્પીટલમાં હાજર મેડિકલ ઓફીસર રાજપુત અને સ્ટાફના લોકોમાં દોડધામ મચી જવા પામી હતી. જયારે અન્ય દર્દીઓ સારવાર માટે ખાનગી હોસ્પિટલોનો સહારો લીધો હતો.
જેમાં જયશ્રીબેન હસમુખભાઇ, જયોતિબેન હર્ષીદાબેન, જયોત્સનાબેન ધનજીભાઇ, દક્ષીતાબેન રમણીકભાઇ, વીણાબેન કમલેશભાઇ, હેતલબેન, બળદેવભાઇ, ઉગરાબેન નરોતમભાઇ ભુપતભાઇ જગમાલભાઇ, મેરૂભાઇ હસમુખભાઇ સારવાર હેઠળ છે.(૬.૧૦)