સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 13th March 2018

ર મહિના પહેલા ગુમ થયેલા જોરાવરનગરના અમીત સોનીનો મૃતદેહ કેનાલમાંથી મળ્યો

વઢવાણ તા. ૧૩ : સુરેન્દ્રનગરના અમીત સોની નામના યુવાન બેમાસ અગાઉ અગમ્ય કારણોસર ગુમ થઇ ગયો હતો. ત્યારે યુવાનની શોધખોળ કરવા છતા કોઇ પતો લાગ્યો નહતો પરંતુ તેનુ બાઇક કેનાલ પરથી મળી આવ્યું હતું.

આથી પરિવારજનોને કાઇ અજુગતુ બન્યાની આશંકા હતી આથી તે સમયે પાલિકાની સવારની ટીમે કેનાલમાં ખુબજ શોધખોળ કરી હતી પરંતુ યુવાનનો પતો લાગ્યો ન હતો.

નર્મદા કેનાલના આસપાસ આ યુવાનની લાશ હોવાની માહિતી મળતા ફાયરની ટીમ તાત્કાલીક પહોંચી યુવાનનો મૃતદેહ બહાર કાઢયો હતો.

જેમાં મૃતક યુવાનના ખીસ્સમાંથી પાકીટ મળી આવ્યું હતું આ પાકીટમાં આધાર કાર્ડ, લાઇસન્સ સહીતના કાગળોના  આધારેયુવાનનું નામ અમીત સોની હોવાનું ખુલ્યુ હતું.

પોલીસે મૃતકની લાશનો કબજો લઇ પોસ્ટ મોર્ટમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છ.ે(૬.૯)

(1:01 pm IST)