સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 13th March 2018

વિસાવદરમાં જેતલવડની વાડીમાંથી રૂ.૨૪ હજારના ૩૦ મણ ચણાની ચોરી

જુનાગઢ તા.૧૩: વિસાવદર તાલુકાના જેતલવડના ગીરધર રણછોડ ભાલાળાની ગામની સીમમાં આવેલ વાડીમાં તસ્કરો  ખાબકયા હતા.

રાત્રિના સમયે આવેલા તસ્કરો વાડીમાંથી રૂ.૨૪ હજારની કિંમતના ૩૦ મણ ચણા તેમજ રૂ.૪૦૦૦ની બે બેટરી ચોરી ગયા હતા.

આ અંગે વિસાવદર પોલીસે ફરિયાદ નોંધી સીમ ચોરીનો ભેદ ઉકેલવા તપાસ હાથ ધરી છે.

(11:41 am IST)