સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 13th March 2018

ટંકારાને યાત્રાધામ જાહેર કરવા મુખ્યમંત્રીને રજૂઆત

મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની પાવન ભુમિમાં આર્યસમાજ મંદિર યાત્રાળુઓથી ધમધમે છે

મોરબી તા.૧૩: ટંકારાને બસ સ્ટેશન સુવિધા આપવા અંગે તથા તિર્થસ્થાન યાત્રાધામ જાહેર કરવા હસમુખભાઇ ગઢવીએ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે.

મોરબી જીલ્લાનાં ટંકારામાં મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની પાવન ભુમિમાં આર્યસમાજ મંદિર છે ત્યાં વેદ પરંપરાનું પ્રશિક્ષણ અપાય છે. ત્યાં હજારોની સંખ્યામાં દેશ-વિદેશથી યાત્રાળુઓ આવે છે. ખાસ કરીને ગુજરાત બહારથી વર્ષ દરમ્યાન ખુબ જ બહોળી સંખ્યામાં યાત્રાળુઓ આવે છે. ટંકારા આયસમાજમાંથી વેદ-સંસ્કૃતિ પ્રચાર પ્રસાર થાય છે.

જો ટંકારાને યાત્રાધામ તીર્થસ્થાન જાહેર કરવામાં આવે તો ગુજરાત સરકાર  તરફથી વખતો વખત ટંકારા તીર્થધામનાં વિકાસ માટે સરકારરી તરફથી ગ્રાન્ટ મળે જે ટંકારાનાં મંદિરનાં વિકાસ અર્થે ઉપયોગમાં લેવાય. વહેલી તકે ટંકારાને યાત્રાધામ તીર્થસ્થાન જાહેર કરવા રજુઆતમાં જણાવ્યું છે.

(11:34 am IST)