સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 13th March 2018

રંધોળા અકસ્માતના મૃતકોને ટાઉન હોલમાં શબ્દાંજલી અપાઈ

મૃતકો, ઈજાગ્રસ્તોની વ્હારે યોગીધામના સંત નિર્મળ સ્વામી

ભાવનગર, તા. ૧૩ :. રંધોળા અકસ્માતના મૃતકોને 'શબ્દાંજલી દ્વારા શ્રધ્ધાંજલી' અર્પવા શહેરના ટાઉન હોલ ખાતે પ્રાર્થના સભા યોજાયેલ.

પ્રાર્થના સભાને સંબોધતા સમઢીયાળા યોગીધામના સંત નીર્મળ સ્વામીએ જણાવ્યુ કે અંતિમ પળો અને ઈચ્છાઓ વ્યાપેલા હોય નામ સ્મરણથી જ શ્રધ્ધાસુમનને શ્રેષ્ઠ લેખાવ્યા હતા. પ્રાર્થનાસભામાં વિવિધ ક્ષેત્રના અગ્રણીઓએ શબ્દાંજલી અર્પેલ. સમઢીયાળા (બોટાદ)ના પૂ. નીર્મળ જ્ઞાનસ્વામીએ મૃતકો - ઈજાગ્રસ્તોના પરિવારજનોને જરૂરી સહાય તેમજ મૃતકોના અભ્યાસ કરતા સંતાનોને વિદ્યાર્થી દત્તક યોજના હેઠળ આવરી લેવાશે.

(11:31 am IST)