સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 13th March 2018

ભાવનગર મહિલા કોલેજ દ્વારા સ્મરણાંજલિ

ભાવનગરઃ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનીવર્સીટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ (દેવરાજનગર) દ્વારા ભાવનગર જીલ્લાના રંધોળા અકસ્માતમાં મૃત્યુ પામનારને સ્મરણાંજલિ આપવામાં આવી હતી. પરમપૂજય આત્માનંદજી સરસ્વતીના અધ્યક્ષસ્થાને યોજાયેલ સ્મરણાંજલિ કાર્યક્રમમાં મૃત્યુ પામનારની આત્માની શાંતિ અર્થે મૌન પાળવામાં આવ્યું હતું અને મૃત્યુ પામનારના પરિવારને ભગવાન શકિત આપે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી તે તસ્વીર.

(11:30 am IST)