વરતેજમાં મેમણ સમાજનું સંમેલન સંપન્ન
આર. કે. રિસોર્ટ વરતેજ મુકામે તાજેતરમાં ઓલ ઇન્ડિયા મેમણ જમાતનું સૌરાષ્ટ્રનું એક સંમેલન રાખવામાં આવ્યું હતું. આ સંમેલનમાં ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશનના સૌરાષ્ટ્ર-ગુજરાતના પ્રેસિડેન્ટ, વાઇસ પ્રેસિડેન્ટ, ઝોનલ સેક્રેટરીઓ, ચેરમેન, નેશનલ એકઝીકયુટીવ તેમજ સૌરાષ્ટ્રની તમામ મેમણ જમાતના પ્રમુખો-હોદ્દેદારો અને મેમણ સમાજના જીમેદાર લોકો હાજર રહ્યા હતા. આ સંમેલનમાં સમાજના ઉત્થાન અને વિકાસ માટેનું ચિંતન કરવામાં આવ્યું હતું. તાજેતરમાં અનિડા ખાતે બનેલ અકસ્માતની ઘટનામાં પ૧ હજારની રકમની સહાય જાહેર કરવામાં આવી હતી તેમજ ચાવડીગેટ ખાતે મસ્જિદ ધરાશયી થતા જે લોકો મૃત્યુ પામ્યા છે તેમને ૧૧-૧૧ હજારની સહાય જાહેર કરવામાં આવી હતી. આ સંમેલનની શરૂઆતમાં અનિડાને ચાવડીગેટની ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોને બે મિનિટ મૌન પાળી અને શ્રધ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.