સુરેન્દ્રનગરમાં ''નન્હી પરી અવતરણ'' વધામણા
વઢવાણઃ સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી અંતર્ગત મહિલા શકિતને વધાવવા અને બિરાદાવવા માટે જન્મ લેનારી પ્રત્યેક દીકરીને નન્હી પરી અવતરણ તરીકે વધાવવામાં આવી હતી. આજે અવતરીત થનાર દીકરીઓના પરિવારજનોને એકતરફ લક્ષ્મીજી અને બીજી તરફ સરસ્વતી માતાની મુદ્રાવાળો પાંચ ગ્રામનો ચાંદીનો સિકકો અર્પણ કરવામાં આવ્યો હતો સાથે મીઠાઇ અને મમતા કીટ અર્પણ કરીને દીકરીના જન્મને આવકાર આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે જિલ્લા પંચાયત આરોગ્ય સમ્િતિના ચેરમેન કાન્તીભાઇ ટમાલીયા, સીવીલ સર્જન ડો. હરીશ વસેટીયન, ડો. વાકાણી, જનકલ્યાણ ફાઉન્ડેશનના પ્રમુખ સુમિત ઉમરાણીયા, રણજીતભાઇ ચાવડા, હિંમતભાઇ ડાભી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીરઃ અહેવાલ- ફઝલ ચૈહાણ-વઢવાણ)