સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 13th February 2018

જુનાગઢના વકીલો અને ડોકટરોની ગિરનારના ફરતે સાઇકલ પ્રદક્ષિણા

 જુનાગઢના વકીલો અને ડોકટરોની ૩૦ જેટલા સભ્યોએ ગિરનાર ફરતેની સાયકલ પ્રદક્ષિણા કરી હતી. ધાર્મિકતાની સાથે સામાજીક જાગૃતિના સંદેશ સાથે આ પ્રદક્ષિણા કરવામાં આવી હતી. આ પ્રદક્ષિણાનો રેલ્વે સ્ટેશન ખાતેથી વહેલી સવારે પુર્વ મેયર અને એડવોકેટ જીતુભાઇ હિરપરા સહિતના આ સાયકલ યાત્રામાં જોડાયા હતા અને ગિરનારના ફરતે પ્રદક્ષિણા કરી હતી. આ યાત્રામાં હર્ષદભાઇ રાંક  પારસ શિંગાળા નરેશ સાસીયા જનક હિરપરા ડો. રૈયાણી ડો.ઠેસીયા સહિતના જોડાયા હતા અને કાળવા ચોક ગોદડ અખાડા ખાતે આ યાત્રા પૂર્ણ કરી બેટી બચાવો બેટી પઢાવો સાઇકલ ચલાવો પર્યાવરણ બચાવો સ્વચ્છતા જાળવવાનો સંદેશો લોકો સુધી પહોંચાડયો હતો. (અહેવાલ  વિનુ જોષી તસ્વીર મુકેશ વાઘેલા જુનાગઢ)

(11:27 am IST)