સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 13th February 2018

જામજોધપુરમાં દલિત સમાજ દ્વારા રેલી-સુત્રોચ્ચાર

જામજોધપુરઃ અહીયા શૈલેષ મકવાણા નામના યુવાનના ઘેર જુગારધામ-દારૂની પ્રવૃતિ બાબતની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી ચીજવસ્તુઓ વેરવિખેર કરી હાજર સભ્યો સાથે કરેલા અપમાનજનક વર્તનથી રોષ પ્રસર્યો છે. આ મામલે જવાબદાર ત્રણ પોલીસ કર્મી સામે ફરિયાદ નોંધવા માંગણી થઇ છે ત્યારે પ૦૦થી વધુ દલિત સમાજના લોકોએ આંબેડકર ચોકથી મામલતદાર કચેરી સુધી રેલી યોજી સુત્રોચ્ચાર કર્યા હતા. તે તસ્વીરમાં દર્શાય છે.

(11:22 am IST)