સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 13th January 2019

મોરબીમાં પુત્રની હત્યાને બે માસ વીત્યા છતાં આરોપીને પકડવામાં પોલીસ નિષ્ફ્ળ:પિતાએ લખ્યો સીએમને પત્ર

રિક્ષામાં પેટ્રોલ ભરાવવા ગયેલ પુત્રની માથામાં પથ્થરો ઝીકી હત્યા કરાયેલ મૃતદેહ મળ્યાને બે માસ વીત્યા છતાં હત્યારા પકડાયા નથી

મોરબીના નવા ધરમપુર ગામે રહેતા મંગાભાઈ રામભાઈ રાવાના પુત્ર ભાવેશની હત્યા થયાને બે માસ વીત્યા છતાં પોલીસ આરોપીઓને પકડી સકી નથી અને પોલીસ નિષ્ફળ રહી હોવાના આક્ષેપ સાથે યોગ્ય તપાસની માંગ સાથે સીએમને પત્ર લખવામાં આવ્યો છે

   પુત્ર ગુમાવનાર પિતા મંગાભાઈએ રાજ્યના મુખ્યમંત્રીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે ગત તા. ૧૪-૧૧-૨૦૧૮ ના રોજ રાત્રીના સમયે તેનો પુત્ર ભાવશ પોતાની રીક્ષામાં પેટ્રોલ ભરાવવા ગયેલ ત્યારે અમરેલી ગામ પાસે રવિરાજ ચોકડી નજીક માથામાં પથ્થરોના ઘા ઝીંકી તેની હત્યા કરવામાં આવી હતી અને હત્યા કરાયેલ મૃતદેહ મળ્યો હતો

  આ હત્યા મામલે તાલુકા પોલીસે અજાણ્યા ઈસમો સામે હત્યાનો ગુન્હો નોંધી તપાસ ચલાવી હતી જોકે હત્યાના બનાવને બે માસ વીત્યા છતાં હજુ પોલીસ આરોપીઓને પકડી સકી નથી અને તપાસ ધીમી ગતિએ ચાલતી હોય જેથી તપાસ ઝડપી થાય અને આરોપીઓને ઝડપી કાયદાકીય સજા કરવામાં આવે તેવી માંગ કરી છે

(11:50 pm IST)