સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 13th January 2019

મોરબીમાં સાસુ અને નણંદોના માનસિક ત્રાસથી કંટાળીને પરણીતાએ એસિડ પીધું

તું કેમ તારા માવતરિયાને ચડાવે છે? તેમ કહીને અવાર નવાર માનસિક ત્રાસ આપતા

 

મોરબીમાં સાસુ અને નણંદોના માનસિક ત્રાસથી કંટાળીને પરણીતાએ એસિડ પી લેતા તેણીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જે મામલે મોરબી મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોધાઇ છે.

  મળતી વિગત મુજબ મોરબીના રણછોડનગરના આવેલ યમુનાનગરમાં રહેતી અને મૂળ મોટી વાવડી ગામની ધારાબેન ઉર્ફે ખિમીબેન ઉર્ફે રાધુબેન કનુભાઈ પરસાડીયા (..33) નામની પરણીતાને તેણીના સાસુ મિનાબેન કુંભાભાઈ પરસાડીયા તથા બે નણંદો લખીબેન કુંભાભાઈ પરસાડીયા અને રજૂબેન કુંભાભાઈ બાંભવા રહે- મોરબી નઝરબાગ, રામાપીરના મંદિર પાસે સામે વાળાએ તું કેમ તારા માવતરિયાને ચડાવે છે? તેમ કહીને પરણીતાને યેનકેન પ્રકારે અવાર નવાર માનસિક ત્રાસ આપતા હોય જે ત્રાસ સહન થતા ધારાબહેનએ ગત તા.૮ના રોજ પોતાના ઘરે એસિડ પી લીધું હતી જેથી તેણીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.જે મામલે મોરબી મહિલા પોલીસ મથકમાં સાસુ અને બે નંણદ વિરુદ્ધ ફરિયાદ નોધાઇ છે તો મોરબી મહિલા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(11:43 pm IST)