સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 12th November 2021

તળાજાના બોરલા ગામ પાસે મગફળીની ફોતરીની ફેકટરીમાં આગથી ૨૫ લાખનું નુકશાન

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર,તા. ૧૨ : ભાવનગરના તળાજા તાલુકાના બોરલા ગામ પાસે આવેલ સર્વે નંબર ૩૬ પૈકી ૬ પૈકી ૧ વાળી જમીનમાં આવેલ પરેશભાઇ કેશવાણીન માલીકીના જય ખોડલ બાયો એર્નજી નામની શીંગની ફોતરીના ગઠ્ઠા બનાવવા માટેની ફેકટરીમાં વિકરાળ આગ ભભુકી ઉઠતા તળાજા, અલંગ અને ભાવનગરથી ફાયર બિગ્રેડનો સ્ટાફ દોડી ગયો હતો અને પાંચ કલાકની જહેમત બાદ આગ ને કાબુમાં લીધી હતી.

આગમાં શીંગની ફોતરીનો મોટો જથ્થો બળીને ખાક બન્યો હતો. આગ લાગવાનું કારણ બહાર આવ્યુ નથી.આગથી રૂ. ૧૫ લાખથી વધુનું નુકસાન થયાનું ફેકટરીના માલીકે જણાવ્યું હતું.

(11:46 am IST)