સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 12th November 2019

વિસાવદરના રાજપરા ગામની સીમમાં બીમારીથી સિંહનું મોત

જુનાગઢ, તા.૧૨: જુનાગઢ જીલ્લામાં સિંહનું બીમારીથી મોત થતા અરેરાટી વ્યાપી ગઇ છે.

પ્રાપ્ત માહિતી મુજબ જુનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના રાજપરા ગામમાં ૧૪ વર્ષના ૧ સિંહનું બીમારીથી મોત થયુ છે.

આ સિંહની બીમારી સબબ સાસણના એનિમલ સેન્ટરમાં સારવાર ચાલી રહી હતી. આ દરમિયાન સિંહનું મોત થતા જીવદયા પ્રેમીઓમાં ઘેરો શોક છવાયો છે.

(1:53 pm IST)