સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 12th November 2019

માણાવદર મત વિસ્તારના લોકપ્રશ્નો સાંભળતા જવાહરભાઇ ચાવડા મરમઠમાં સાકરતુલા કરાઇ

જૂનાગઢઃ માણાવદર મતવિસ્તારના ધારાસભ્ય અને રાજ્યના કેબીનેટ મંત્રીશ્રી પ્રવાસન વિભાગના જવાહરભાઇ ચાવડા તેમના મત વિસ્તાર વાડાસડા ચીખલોદ્રા મરમઠ દેશીંગા અને સમેગા ગામનો પ્રવાસ કરી અધિકારીઓને સાથે રાખી લોકપ્રશ્નોના સ્થળ ઉપર ઉકેલ માટે સુચના આપી હતી. ઉપરોકત તસ્વીરમાં લોકપ્રશ્નો સાંભળતા જવાહરભાઇ ચાવડા અને તેમનુ સન્માન કરતા ગામના આગેવાનો તેમજ મરમઠા ગ્રામજનો દ્વારા જવાહરભાઇની સાકરતુલા કરવામાં આવતી હતી જે નજરે પડે છે. (અહેવાલઃ વિનુ જોષી તસ્વીર મુકેશ વાઘેલા જૂનાગઢ)

(1:49 pm IST)