સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 12th November 2019

અમરેલીના લુણકી રામદેવપીર મંદિરે ગેલાણી પરિવાર દ્વારા નારણભાઈ કાછડીયાની 'ચોખા તુલા'

અમરેલી, તા. ૧૨ :. અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના લુણકી ગામે રામદેવપીર મંદિર ખાતે બાબરા તાલુકા કિસાન મોરચાના પ્રમુખ મધુભાઈ ગેલાણી અને જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ શ્રીમતિ જયાબેન ગેલાણી દ્વારા અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયાની 'ચોખા તુલા' કરવામાં આવેલ હતી.

વર્ષ ૨૦૧૯માં યોજાયેલ લોકસભાની ચૂંટણીમાં નારણભાઈ કાછડીયાનો વિજય થાય તે માટે ગેલાણી દંપતિએ માનતા રાખેલ હતી, જે અન્વયે તેઓએ સાંસદશ્રી ચોખા તુલા કરી તેમની માનતા પૂર્ણ કરેલ હતી.

આ તકે પૂર્વ ધારાસભ્ય વાલજીભાઈ ખોખરીયા, જિલ્લા ભાજપ મહામંત્રી કૌશિકભાઈ વેકરીયા, જિલ્લા ભાજપ ઉપપ્રમુખો રંજનબેન ડાભી અને જ્યોત્સનાબેન અગ્રાવત, બાબરા તાલુકા ભાજપ પ્રમુખ નીતિનભાઈ રાઠોડ, મહામંત્રી મહેશભાઈ ભાયાણી, જિલ્લા કિસાન મોરચાના મહામંત્રી વિનુભાઈ ડોબરીયા, ગુલાબબાપુ સહિતના મહાનુભાવો અને સમસ્ત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

(1:45 pm IST)